સુરત : સુરતથી હવાઇ માર્ગે વારંવાર પ્રવાસ કરનારા સુરતના મુસાફરો માટે સુરતથી સ્ટાર એર એરલાઇન્સની કિશનગઢ અને બેલગામની પ૦ સીટરની ફલાઇટ શરૂ થઇ છે. આ પ્રસંગે નવસારીના સાંસદ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ચેમ્બરની એવીએશન/એરપોર્ટ કમિટીના ચેરમેન મનોજ સિંગાપુરી હાજર રહ્યા હતા. સુરતના હીરા અને ટેક્ષ્ટાઇલ ઉપરાંત અન્ય ઉદ્યોગકારોને આ ફલાઇટનો લાભ થશે. ઉદ્યોગકારો એક જ દિવસમાં સુરતથી વેપાર માટે ગંતવ્ય સ્થળે જઇને પાછા સુરત પરત ફરી શકશે. આ ફ્લાઇટ સોમવાર, બુધવાર અને શુક્રવારે ઓપરેટ થનારી છે. બેલગામથી ફલાઇટ બપોરે ૧રઃ૦૦ કલાકે ટેકઓફ થઈ સુરત બપોરે ૧ઃર૦ કલાકે લેન્ડ થશે. બપોરે ૧ઃપ૦ કલાકે સુરતથી ટેકઓફ થઈ કિશનગઢ બપોરે ૩ઃ૧૦ કલાકે લેન્ડ થશે. જ્યાંથી બપોરે ૩ઃ૪૦ કલાકે ટેકઓફ થઈ સુરત સાંજે પઃ૦૦ કલાકે લેન્ડ થશે અને સુરતથી સાંજે પઃ૩૦ કલાકે ટેકઓફ થઈને બેલગામ સાંજે ૬ઃપ૦ કલાકે લેન્ડ થશે. આ નવી સેવા સુરત, ભરૂચ, નર્મદા અને નવસારી જિલ્લામાં રહેતા સેંકડો લોકો માટે લાભદાયી સિદ્ધ થશે.
Read Next
2 weeks ago
સુરતમાં સાત દિવસીય નેશનલ સિલ્ક એક્સ્પોનું આયોજન
February 13, 2024
સુરતની કલા, સંસ્કૃતિ, વિચાર અને સંવાદને એક મંચ પર લાવતા પાંચ દિવસીય તાપી ઉત્સવનો આરંભ
January 22, 2024
રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી માટે વાસ્તુ ટ્રસ્ટ દ્વારા રામ મંદિર 11,111 દિયા કીટ નું વિતરણ શરુ કરવામાં આવ્યું
December 11, 2023
હાઈલાઇફ બ્રાઇડ્સ,ભારતની સૌથી મોટી ફેશન એક્ઝિબિશન કંપનીહાઈલાઇફ એક્ઝિબિશન દ્વારા ભારતનું શ્રેષ્ઠ બ્રાઇડલ શોકેસ સુરતમાં હોટેલ મેરિયોટ ખાતે ૧૨અને ૧૩ ડીસેમ્બરના રોજ યોજાશે
November 28, 2023
અલોહા એકેડમીની રાષ્ટ્રીય કક્ષાની અંકગણિત સ્પર્ધા સુરતમાં યોજાઈ
Related Articles
Check Also
Close
-
સુરતનો ટેક્ષટાઈલ ઉદ્યોગ ૧૫ લાખ લોકોને રોજગારી આપી રહ્યો છેDecember 31, 2021